વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શિબિર અને પ્રભાવનાનુ આયોજન

વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શિબિર અને પ્રભાવનાનુ આયોજન
વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી જીનાલયમાં પક્ષાલ પુજા તેમજ ઉપાશ્રય માં શિબિર અને પ્રભાવનાનુ આયોજન કરવામાં આવ્યું.
જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર અવનવા મનોરંજન ના કાર્યક્રમની સાથે સાથે જીવદયા,સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે પણ જાણીતું છે. ઉલ્લેખનીય છે કે તાજેતર માં જ શ્રી મહાવીર સ્વામી કલ્યાણક નિમિતે પક્ષીઓ માટે ૬૦૦ પાણી ના કુંડા, ૪૦૦ પક્ષી ઘર, કાંગ અને જાર નું નિઃશુલ્ક વિતરણ તેમજ ૩ અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની પરબ ચાલુ કરવામાં આવેલ.
સુરેન્દ્રનગર જીલ્લા માં હાલ માં વેકેશન નો માહોલ છે ત્યારે જૈન સમાજ ના બાળકોમાં ધાર્મિક સંસ્કારો નું સિંચન થાય તે માટે જીનાલયો માં પક્ષાલપૂજા તેમજ ઉપાશ્રય માં શિબિર નું આયોજન કરાયું. વિકેશન માં બાળકો મોબાઈલ અને ટીવી પાછળ પોતાનો સમય વ્યથિત કરે છે. જેના બદલે તેઓ થોડો સમય જૈન ધર્મના સંસ્કાર મેળવે તે માટે આયોજન કરવામાં આવેલ છે.
જૈન ધર્મ માં તીર્થકર ભગવાનની પક્ષાલ પુજાનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે વેકેશન ના સમય માં બાળકો માં ધાર્મિક ગુણો વિકસે તે માટે પક્ષાલ પૂજા નું ૭ જિનાલયો માં પક્ષાલ પૂજા અને ઉપાશ્રય માં શિબિર નું આયોજન તારીખ: ૦૫-૦૫-૨૦૨૪ થી ૦૯-૦૬-૨૦૨૪ સુધી દર રવિવારે આયોજન કરવામાં આવેલ. પક્ષાલ પૂજા તેમજ શિબિર માં માં ૩૫૦થી વધુ સંખ્યામાં બાળકો જોડાયા હતા.શ્રી ગીરનાર તીર્થ મંડળ શ્રી નેમિનાથદાદા ના મહાપક્ષાલ ની ઝાંખી કરાવે તેવા શંખનાદ, ઘંટનાદ, ઝાલર, ઢોલક અને ખંજરી સાથે સંગીતમય વાતાવરણમાં સંગીત સુરાવલી સાથે તેમજ શ્લોક, સ્તુતિ સાથે ના પક્ષાલ માં બાળકો પૂજા ના વસ્ત્રો માં આવેલ. પક્ષાલનું આયોજન ગીરનાર પક્ષાલ મંડળ દ્વારા કરવામાં આવેલ.
જીનાલય માં પક્ષાલ પુજા કરવા આવે તેને સિલ્વર ગ્રુપ દ્વારા તેમજ દાતાઓ નાં સહયોગથી ગિફ્ટ આપવામાં આવી.
પક્ષાલપૂજા દરમિયાન કે શિબિર માં આવતા છોકરાઓ ના વાલીઓ દ્વારા જાણવા મળ્યા મુજબ આ આયોજન થી વેકશન નો સૌથી સારો ઉપયોગ થઇ શક્યો છે. એકંદરે બાળકો વેકેશન માં મોબાઈલ અને ટીવી પાછળ પોતાનો સમય વ્યથિત કરે છે પરંતુ આ આયોજન થી બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય છે. હેત નાં પિતા દેવલભાઈ બાવિસી એ જણાવ્યા કે તેમનો પુત્ર બીજા ધોરણ માં અભ્યાસ કરે છે. વેકેશન કે અન્ય સમય માં વિડિયો ગેમ, રમત વિગેરે માં વ્યસ્ત રહેતો હેત પક્ષાલ પુજા અને શિબિર માં રેગ્યુલર આવ્યા બાદ તેના માં ઘણો પરિવર્તન આવ્યો છે. હવે તે રેગ્યુલર પુજા કરે છે અને ઘરે થી સ્કૂલ જતા પેહલા દાદા, મમી, પપ્પા ને પગે લાગી ને જાય છે.
આ આયોજન ને સફર બનાવવા સિલ્વર ગ્રુપ ના પ્રેસીડન્ટ કૃણાલભાઈ મહેતા, સેક્રેટરી ગુંજનભાઈ સંઘવી,વાઈસ પ્રેસીડન્ટ શ્રેણિકભાઈ શાહ, NPP તેમજ પ્રોજેક્ટ ચેરમેન કૃણાલભાઈ બાવીસી, NPP પિંકેશભાઈ શાહ, IPP અલ્પેશભાઈ દેસાઈ, ટ્રેઝરર નીખીલેશભાઈ શાહ,કારોબારી મેમ્બર રીપલભાઈ શાહ, PRO સંજયભાઈ સંઘવી, નીર્મેશભાઈ શાહ, જોઈન્ટ સેક્રેટરી મલકેશભાઈ દોશી દ્વારા મહેનત કરવામાં આવેલ છે. તેમજ , મિતુલભાઈ શાહ, નીલેશભાઈ દોશી, સુનીલભાઈ કોટક, અભિષેકભાઈ વોરા, પ્રતિકભાઈ શાહ, પંકિલભાઈ ધોળકીયા, મીતેશભાઈ દોશી, હિરેનભાઈ પરીખ, સુનીલભાઈ દોશી, ચિરાગભાઈ શાહ સહીત સમગ્ર કારોબારી ટીમ પક્ષાલપૂજા માં પ્રોજેક્ટ સફર બનાવવા હાજર હોય છે…
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300