જમ્મુમાં ત્રાસવાદી હુમલામાં માર્યો ગયેલા તીર્થયાત્રીઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

જમ્મુમાં ત્રાસવાદી હુમલામાં માર્યો ગયેલા તીર્થયાત્રીઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ
Spread the love

જમ્મુમાં ત્રાસવાદી હુમલામાં માર્યો ગયેલા તીર્થયાત્રીઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

ગઈકાલે જમ્મુમાં રિયાસી જીલ્લામાં તીર્થયાત્રીઓની બસ પર ત્રાસવાદી હુમલો થયો હતો. ઉત્તરપ્રદેશના યાત્રાળુઓની બસ વૈષ્ણોદેવી જઈ રહી હતી ત્યારે ત્રાસવાદીઓ દ્વારા બસ પર અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પંજાબ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા આ સેવા પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમ મહુવાથી જયદેવ માંકડની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ:- હરેશ જોશી, કુંઢેલી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!