રાધનપુર સદારામ હોસ્પિટલના ડો. ગોવિંદ ઠાકોરે પોતાના સ્ટાફ સાથે ધુળેટી પર્વની મજા માણી..

રાધનપુર સદારામ હોસ્પિટલના ડો. ગોવિંદ ઠાકોરે પોતાના સ્ટાફ સાથે ધુળેટી પર્વની મજા માણી..
રંગોના તહેવારને લોકોએ મનભેદ અને મતભેદ ભૂલીને ઉજવવો જોઈએ: ડો. ગોવિંદ ઠાકોર ..
પાટણ જીલ્લાના રાધનપુર ખાતે હર હંમેશા લોકોની સેવા સાથે જોડાયેલ અને પંથકમાં નામના મેળવેલ સદારામ હોસ્પિટલના ડો.ગોવિંદ ઠાકોર પોતાના સ્ટાફ સહીત સમર્થકો સહિત રાધનપુરના નવયુવાનો પ્રબુદ્ધ નગરજનો સાથે રાધનપુર ભાભર ત્રણ રસ્તા ખાતે આવેલ પોતાની હોસ્પિટલમાં રંગોના તહેવાર ધુળેટી પર્વની ગુલાલ ઉડાવી કલર ઉડાવી ઉજવણી કરી હતી.
ધુળેટી અને હોળી પર્વની શુભેચ્છા પાઠવતા રાધનપુરના ડોક્ટર ગોવિંદ ઠાકોરે જણાવ્યું હતું કે આ રંગોનો તહેવાર હોય તમામ લોકોએ કોઈ પણ પ્રકારના મતભેદો, જાતીભેદોને ભૂલી જઈ આ પવૅ ની ઉજવણી કરવી જોઈએ તેમ જણાવી ગુજરાત અને દેશ ના વિકાસ ની કામના સાથે હોળી ધુળેટી ના પર્વની એકબીજાને અબીલ ગુલાલ સાથે રંગબેરંગી રંગબેરંગી કેમિકલ યુક્ત કલરો છાંટી ડીજેના તાલે નાચ – ગાન કરી હોળી ધુળેટી ના પર્વની ઉજવણી ને યાદગાર બનાવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300