સિદ્ધેશ્વર વિદ્યાલય ટીમાણામાં વહેતી જલધારા નું લોકાર્પણ કરવામાં આવ્યું

સિદ્ધેશ્વર વિદ્યાલય ટીમાણા શાળામાં મુંબઈના દાતાશ્રીઓ તરફથી બંધાવી આપેલ “વહેતી જલધારા ” નું આજે લોકાર્પણ
આજરોજ સિદ્ધેશ્વર વિદ્યાલય ટીમાણામાં વહેતી જલધારા નું લોકાર્પણ કરવામાં આવ્યું
આ લોકાર્પણ કાર્યક્રમ માં અમિતભાઈ શાહ અને રોટરી ક્લબ પ્રોજેક્ટ ઓફિસર ડૉ.મોનાબેન શાહ અને સાથે મનિષાબેન શાહ અને વિજયભાઈ જૈન ઉપસ્થિત રહ્યા હતા.
સાથે વિવેકાનંદ કેળવણી મંડળ ટીમાણાના પ્રમુખ, મંત્રીશ્રી, સરપંચશ્રી, ભૂતપૂર્વ કર્મચારીઓ, ગામના આગેવાનો તેમજ સ્ટાફ હાજર રહેલ.
આ પરબથી વિદ્યાર્થીઓને કાયમ માટે ઠડું અને શીતળ, શુદ્ધ પાણી મળતું રહેશે.
અને આ શુભેચ્છક તરફથી ઠાડચ, લાપાળિયા, માંડવડા એક, માંડવડા બે, ગરાજીયા, ઠળિયા, ગુ ઝ શાહ ભદ્રાવળ શાળાઓને બબ્બે સ્માર્ટ ટીવી અને લાખાવાડ શાળાને એક સ્માર્ટ ટીવી ભેટ આપવામાં આવેલ.
તેમજ તમામ વિદ્યાર્થીઓને મુંબઈના દાતા તરફથી બિસ્કિટ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમા મુંબઈથી આવેલ દાતાશ્રીઓનું શાળા પરીવાર વતી સન્માન કરવામાં આવેલ તેમજ દાતાશ્રી દ્રારા આચાર્યશ્રી તેમજ પાણીના પરબનું ઉત્તમ વિશ્વકર્મા કારીગરનું સન્માન કરવામાં આવેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300