માંગરોળ તાલુકામાં રીસરફેસિંગ કામગીરી દરમિયાન વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો

માંગરોળ તાલુકામાં રીસરફેસિંગ કામગીરી દરમિયાન વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો
Spread the love

માંગરોળ તાલુકામાં રીસરફેસિંગ કામગીરી દરમિયાન વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો

 

જૂનાગઢ  : હાલમાં માંગરોળ તાલુકાને જોડતા ચોટલીવીરડી- સકરાણા- જુથળ રોડની રીસરફેસિંગ કામગીરી ચાલી રહી છે. માંગરોળ વિસ્તારને જોડતો આ રસ્તો અતિ મહત્વપૂર્ણ છે.

તેથી આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા, જાહેર સલામતી જાળવી રાખવાના હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.એફ.ચૌધરી, જૂનાગઢ દ્વારા આગામી તારીખ ૧૦-૦૪-૨૦૨૫ સુધી વૈકલ્પિક રસ્તા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જેમાં જણાવ્યા અનુસાર માંગરોળ તરફ આવતા વાહનો માટે રામવાવના પાટીયા- ભંડુરી- શેરીયાખાણ- શેપા- હુસેનાબાદ- માંગરોળનો રસ્તો કાર્યરત રહેશે, તેમજ ભારે વાહનો માટે રામવાવના પાટીયા- ગડુ- કુકસવાડા- માંગરોળનો રસ્તો કાર્યરત રહેશે.

આ ઉપરાંત માંગરોળથી રામવાવના પાટીયા જવા માટે ઢેલાણા- ચોટલીવીરડી ફાટક- સકસણા-જુથળ- રામવાવના પાટીયાનો રસ્તો કાર્યરત રહેશે. ઉક્ત જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!