દાંતા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા વિવિધ માંગણીઓને લઈને આવેદન

ગુજરાત સરકાર એક બાજુ સબ સલામત નો દાવો કરી રહી છે જયારે ભારત દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખા વિશ્વ મા ગુજરાત અને ભારત ના ગુણગાન ગાઈ રહ્યા છે ત્યારે મોદી ના ગૃહ રાજ્ય ગુજરાત મા પરીસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે ,એક તરફ મહિલા સશક્તિકરણ ની વાતો મોટા પાયે કરાય છે ત્યારે ગુજરાત ના સૌથી પછાત તાલુકા દાંતા ની આંગણવાડી બહેનો એ આજે વરસતા વરસાદ મા વિવિધ માંગણીઓ ને લઈને આવેદનપત્ર આપી પોતાની વિવિધ માંગો સાથે નું આવેદનપત્ર મુખ્યમંત્રી થી લઇ વિવિધ વિભાગો ને કરતા સન્નાટો છવાઈ ગયો હતો આજે 225 કરતા વધુ બહેનો હાજર રહી પોતાની એકતા નો પરિચય આપ્યો હતો_
*આ હતી મુખ્ય રજુઆત*
*[1] આ બહેનો નો આરોપ છે કે સવારે 10 વાગે ઓડીટ કરવા બહેનો ને બોલાવવા છતા કોઈ અધિકારી ઓફિસ મા 12 વાગે સુધી આવતા નથી*
*[2] અધિકારીઓ બાળકો ને આંગણવાડી મા સવારે 9 વાગે બોલાવે છે પણ બાળકો મોડા આવતા હોઈ સમય મા ફેરફાર કરવો તેવી રજૂઆત બહેનો એ કરી હતી*
*[3] આંગણવાડી મા બહેનો ને રજા જોઈએ તો પણ રજા આપવામા આવતી નથી ,સામાજીક કામ હોવા છતા રજા આપવામા આવતી નથી*
*[4] આંગણવાડી મા બહેનો ના ચોપડા ભરાઈ ગયા હોવા છતાં નવા આપવામા આવતા નથી અને નવા ચોપડા લાવવા માટે બહેનો ને પોતાના પૈસા થી લાવવા માટે કહેવાય છે*
*[5] 16 ઓગસ્ટ થી 18 ઓગસ્ટ સુધી એટલે કે ત્રણ દિવસ સુધી બધી બહેનો રજા ઉપર રહેશે તેવુ આજ ના આવેદનપત્ર મા જણાવ્યુ હતુ*
*[6] આ આવેદનપત્ર મા કુલ 8 મુખ્ય માંગણીઓ સુચવવામાં આવી હતી અને તેની ઉપર તુરંત અમલ થાય તેવી માંગ કરાઈ છે