મુખ્યમંત્રીના “મનની મોકળાશ” કાર્યક્રમમાં સરડોઈના શિક્ષણવિદની પ્રસ્તુતિ

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
મોડાસા તાલુકાના સરડોઈ ગામના વતની રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા સન્માનિત મોતીભાઈ ભગવાનભાઈ નાયકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને યોજાયેલ “મનની મોકળાશ” કાર્યક્રમમાં કઠપૂતળી, લોકનાટય ભવાઈ, લુપ્ત થતી લોકસંસ્કૃતિ, વનસ્પતિ વિવિધતા અને ભારતીય સંસ્કૃતિના વારસાની જાળવણી અંગેના સફળ પ્રયોગોને નૂતન શિક્ષણ પધ્ધતિના અભ્યાસક્રમમાં સ્થાન આપવા અંગેનો લેખિત અહેવાલ મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો.