નર્મદા ડેમ ૧૩૬.૧૭ મીટરની ઐતિહાસિક સપાટીએ, ૧૨ દરવાજા ખોલાયા

નર્મદા,
કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં ૮ સપ્ટેમ્બર રોજ નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૬.૧૭ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી. નર્મદા ડેમના ૧૨ દરવાજા ખોલાયા છે હાલ ડેમ એની ઐતિહાસિક સપાટી પર કરી ગયો છે.
આટલા વર્ષો માં પ્રથમ વાર નર્મદા ડેમ ૧૩૬.૧૭ મીટરની સપાટી પાર કરતા ગુજરાત માટે એક સારા સમાચાર કહેવાય ત્યારે ઉપરવાસ માંથી નર્મદા ડેમમાં ૪,૪૦,૨૮૯ ક્્યુસેક પાણીના ઇનફલો સામે ૩,૨૦,૮૧૯ ક્્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો.
તા.૯મી ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે તા. ૮ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સવારના ૮ઃ૦૦ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૭૫૦૪ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૪૫૮૦ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયેલ છે.