આહવા ખાતે ૮૨ વર્ષના વૃદ્ધા રંગુબેન પાટીલનું અવસાન થતાં તેમની આંખોનું દાન કરાયું

આહવા નગર ના મરાઠી પાટીલ પરિવાર ના રંગુબેન ગોરખરાવ પાટીલનુ ગઇ કાલે ૮૨ વર્ષની જેફ વયએ દુ:ખદ અવસાન થતા તેઓનાં પરિવાર દ્વારા સ્વ રંગુબેનની આંખોનુ દાન કરવાનો નિર્ણય લીધો હતો અને આરએનસી ટ્રસ્ટ વલસાડ નેત્રાલયનો સંપર્ક કરી પરિવારજનોએ સ્વ રંગુબેનની અંતિમ ઈચ્છા વિશે માહિતગાર કર્યા હતા અને દ્રષ્ટિ નેત્રાલય વલસાડ દ્વારા તેમની ઈચ્છાને માન આપી રંગુબેન પાટીલની આંખનુ દાન સ્વીકાર્યુ હતુ. આમ, જીવનમાં ચક્ષુદાનનુ મહત્વ સ્વ. રંગુબેન જતાં જતાં સૌ કોઈને સમજાવી જીવન છોડી ચાલ્યા જતાં પરિવારજ નો તેમજ નગર જનોને તેમના પ્રત્યે માન, સન્માન અને ગૌરવની લાગણી અનુભવી હતી અને ચક્ષુદાન કરી પાટીલ પરિવાર દ્વારા અંધ વ્યક્તિને નવી રોશની પ્રાપ્ત થાય એવા ઉમદા હેતુ સાથે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે