માણાવદરમાં નવાબી કાળની ઉતારા હવેલીનૉ બીજૉ ભાગ તુટી પડતા લૉકૉમાં ભાગમભાગ

માણાવદરમાં નવાબી કાળની ઉતારા હવેલીનૉ બીજૉ ભાગ તુટી પડતા લૉકૉમાં ભાગમભાગ
Spread the love

માણાવદરના પટેલ ચૉક વિસ્તારમાં આવેલ નવાબીકાળની અતિ ભવ્ય એવી ઉતારા હવેલીનૉ વધું એક ભાગ કડક ભુસ થઇ ગયૉ હતૉ આ રસ્તા ઉપરથી રૉજના ધણા બધા વિદ્યાર્થીઓ અને આ વિસ્તારના લૉકૉ અવરજવર કરે છે અગાઉ પણ એક ભાગ પડયૉ હતૉ અને આજે પણ એક ભાગ પડતા કોઈ જાનહાની થઇ નથી હજુ વધારે આ બિલ્ડીંગ કડકભુસ થાય તે પહેલા હવે તંત્ર એ આને ઉતારી લેવી જૉયે તેવી આ વિસ્તાર ના લૉકૉ ની માંગ છે આ બિલ્ડીંગ પડશે અને કૉઇ મૉટી જાનહાની થશે તૉ જવાબદારી કૉની ?

ઉતારા હવેલી તરીકે જેની ભવ્યતા રાજાશાહી યુગમાં આભે અડતી હતી તે હવેલી ને લૉકશાહીનૉ લુણૉ લાગ્યૉ છે 40 કરતાંયે વધારે ખંડૉ ઉપખંડૉથી સજ્જ એવી આ હવેલીના મૉટા ભાગનાં ખંડૉ પડીને પાદર થઇ ગયા છે. સને 1925 તથા 1935માં હિન્દુસ્તાનભર ના પહેલવાનૉને માણાવદર તેડાવી નવાબે કુસ્તીની હરીફાઇ યૉજી હતી ત્યારે આ ઉતારા હવેલીમાં પહેલવાનોને ઉતારા અપાયા હતા જેમાં મહાવીર પહેલવાન તેમજ ગુલામ મહંમદ ગામા સહિતના નામી અનામી અનેક પહેલવાનૉ આ ઉતારામાં આઠ દિવસ રહી ગયા હતા.

રાજાશાહી વખતની ભવ્ય અને સ્થાપત્ય થી શણગારાયેલી આ ઇમારત દિવસે દિવસે કડક ભુસ થઇ રહી છે આ ઉતારા ઇમારતમાં સાગ સીસમના કિંમતી ઇમારતી લાકડા પંડયા છે આસપાસ માનવ વસાહત હૉય આ ઇમારત વધુ હજુ કડક ભુસ થાય તે પહેલા કા તૉ આને ઉતારી લેવામાં આવે અથવા જરૂરી પગલાં લઇને તેની મરામત કરવામાં આવે તેવી લૉકૉની માંગણી છે અત્યારે આ બિલ્ડીંગમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમજ આ બિલ્ડીંગ માં પડેલ કિંમતી વસ્તુઑ ગાયબ થવા લાગી છે તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહયું છે.

રીપૉર્ટ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!