સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન વિકાસ માટેના સત્તા મંડળ 14 ગામોનુ જાહેરનામુ બહાર પાડયુ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન વિકાસ માટેના સત્તા મંડળ 14 ગામોનુ જાહેરનામુ બહાર પાડયુ
Spread the love

વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન વિકાસ માટેના સત્તા મંડળ માટે ક્યા ક્યા ગામોનો સમાવેશ થશે તેને લઈને નવુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.જેમાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કુલ નવ ગામો છે જેનો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 5 જેટલા ગામોનો આંશિક ભાગ મળીને કૂલ 14ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.જે નવ ગામોનો સંપૂર્ણપણે સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કેવડિયા, વાગડિયા, નવાગામ, લીમડી, ગોરા, વસંતપુરા, મોટા પીપરીયા, નાના પીપરીયા, ઇન્દ્રણાનો સમાવેશ કરવામાં આવ્યો છે.જયારે ગરુડેશ્વર, બોરિયા, ગભાણા, ભુમલિયા, એમ પાંચ ગામોના કેટલાક વિસ્તારને લેવામાં આવ્યા છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે કેવડિયા વિસ્તારમાં આ અગાઉ KADA યોજના લાવવામાં આવી હતી.ત્યારે ભારે વિરોધ ના પગલે તેની સ્થગિત કરવામાં આવી હતી અને નવો ગરુડેશ્વર તાલુકો બન્યો હતો.ત્યારે બાદ અહીંયા કેવડિયા નજીક દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને માટે એક વિશેષ કાયદો પસાર કરવામાં આવ્યો છે.આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તામંડળ વિધેયક વિધાનસભામાં પાસ કર્યું હતું ત્યાંરે આદિવાસી સમાજમાં ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે.અને આ કાળા કાયદો છે તેમ કહીને આને રદ કરવા માટે આદિવાસી સમાજની માગ ઉઠી છે.

પણ બીજી તરફ આ પ્રવાસન વિકાસ સત્તા મંડળને લઈને હવે નોટિફિકેશ બહાર પાડવામાં આવ્યું છે જેમાં 14 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે કેવડિયા, વાગડિયા ગામ સહીતના વિસ્તારના ગામોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તા મંડળ કાયદોના લોકો ભારે વિરોધ કરી રહ્યા છે.તેને રદ કરવાની માંગ સાથે તાજેતરમાં કેવડિયા ગામમાં શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને નર્મદા માતાની પરિક્રમા કરીને પ્રાર્થના કરવામાં આવી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તામંડળ કાયદો રદ કરવામાં આવે, આ વિસ્તારમાં શાંતિ રહે અને કોઈ ગામને ઉજાડવામાં ન આવે એવી પ્રાર્થના કરાઈ હતી. એક તરફ સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનો અને ગ્રામજનો પ્રવાસન વિકાસ સત્તા મંડળ કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરિઝમ એક્ટ મુજબ અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા કેવડિયા વિસ્તારનું નોટિફિકેશન બહાર પડાયુ છે.જેમાં નર્મદા જીલ્લા ગરુડેશ્વર તાલુકાના કુલ 14 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે હવે આ મુદ્દે શુ થશે એ જોવું રહ્યું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!