માણાવદર તાલુકામાં આગાખાન ગ્રામ સમર્થન દ્રારા વિનામૂલ્યે 1600 માસ્કનું વિતરણ

સમગ્ર વિશ્ર્વને કોરોના નામની મહામારીએ બાનમાં લીધું છે. ત્યારે ભારત પણ બાકાત નથી. ભારતના વડાપ્રધાન દ્રારા કોરોનાથી બચવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ભારત થંભી જ ગયું છે. શોશ્યીલ મિડિયામાં પણ લોકોને કોરોના પ્રત્યે જાગૃતિ મળે અને ધરમાં રહેવાની અપીલના અસંખ્ય મેસેજો વાયરલ થવા પામેલ છે.
અનેક સેવાભાવી સંસ્થાઓ દ્રારા ગરીબ લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં મહા મુહિમ ચાલી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લો પણ આ મુહિમમાંથી બાકાત નથી. માણાવદર શહેર અને તાલુકાના 19 ગામોમાં આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ દ્રારા વિનામૂલ્યે જરૂરિયાતમંદ લોકોને કોટનના માસ્ક 1600 નંગનું વિતરણ કરવામાં આવ્યું હતુ. રમણભાઈ પટેલ (રિજીયોનલ મેનેજર) ની સુચનાથી નિતિન એચ. ભૂતિયા અને તેમનો સ્ટાફ પણ માસ્ક વિતરણમાં જોડાયો હતા.
અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)