મોરબી : રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માં નો આજે જન્મદિવસ

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાંનો આજે તા. 25 ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે. ભાવેશ્વરીબેન દ્વારા અનેક સામાજિક, સેવાકીય તથા ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દેશભરના સંત સમુદાયમાં આદરભર્યું સ્થાન ધરાવતા ભાવેશ્વરીબેનએ જીવનમાં આવેલ ઝંઝાવાતો વચ્ચે સેવાની જ્યોત સદાય પ્રજ્વલિત રાખી છે. મોરબી, મહેન્દ્રનગર સહિતના પંથકોમાં અનેક સેવકો તેમના સેવાકાર્યમાં હોંશે હોંશે જોડાયેલા છે. ભાવેશ્વરીબેનના મો. 70164 99619 પર તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાની વર્ષા થઈ રહી છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી