બનાસકાંઠા જિલ્લામાં અનાજ કોભાંડની તપાસ એલસીબીને સોંપી

બનાસકાંઠા જિલ્લામાં અનાજ કોભાંડની તપાસ એલસીબીને સોંપી
Spread the love

બનાસકાંઠા જિલ્લામાં ઘઉ અને ચોખા નો કરોડો નો ભષ્ટ્રાચાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં પાલનપુર માલ ગોડાઉનમાં અનાજની ઘટ બતાવી રૂપિયા 1.91 કરોડનું કૌભાંડ આચરનારા ગોડાઉન મેનેજર, શકમંદ ગોડાઉનના ડીલેવરી કોન્ટ્રાક્ટર અને ઓડિટર સામે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.જેની તપાસ બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.

પાલનપુર સ્થિત માલ ગોડાઉનમાં 15 દિવસ પૂર્વે ગાંધીનગર વિઝીલન્સ દ્વારા પાંચ દિવસની ઓચિંતી તપાસમાં અનાજના જથ્થામાં મોટી ઘટ હોવાનું બહાર આવ્યું હતુ.જેની યોગ્ય તપાસ કરવામાં આવે અને ગુનેગાર ને સજા જલ્દી થાય તે જરૂરી છેઆ અંગે જિલ્લા પુરવઠા અધિકારી સુધેન્દ્રસિંહ જીલુજી ચાવડાએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે તપાસ હવે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.

રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)

IMG_20210305_132525.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!