આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સોમનાથમાં દેશભક્તિસભર કાર્યક્રમ યોજાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સોમનાથમાં દેશભક્તિસભર કાર્યક્રમ યોજાશે
Spread the love
  • અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે

ગીર સોમનાથ : ભારતની સ્વતંત્રતા આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ તા. ૧૨ માર્ચના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કરાવશે.જેના ભાગરૂપે સોમનાથ ખાતે આઝાદી માટે સ્વતંત્રતા માટે કુરબાની આપનાર વીરો દેશની પ્રગતિ માટે યોગદાન આપનાર લોકોની સ્મૃતિ ચીરંજીવી રાખી તેમને યાદ કરવા કાર્યક્રમ યોજાશે.

દેશભક્તિસભર કાર્યક્રમ સોમનાથ મંદિરના પરિસરમાં તા.૧૨ માર્ચના રોજ સવારે ૧૦.૦૦ કલાકે યોજાશે. મહાત્મા ગાંધીજીના ભજનાવલીના ભજનો, દેશભક્તિ ગીત સહિતના કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. આ તકે સવારે ૧૦:૩૦ થી ૧૧ કલાક દરમિયાન સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાન શ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામા આવશે.

IMG-20210311-WA0008.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!