બાબરા મા ભગતસિંહ યુવા સમિતિ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ નું આયોજન

બાબરા મા ભગતસિંહ યુવા સમિતિ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ નું આયોજન
બાબરા મા ભગતસિંહ યુવા સમિતિ દ્વારા ૨૩ મી માર્ચ એટલે શહીદ દિવસ નિમિતે ભવ્ય રક્તદાન કેમ્પ નું આયોજન આ દિવસે ભારતમાતા ના વીર સપૂતો ” ભગતસિંહ સંધુ ” , ” સુખદેવ થાપર ” અને ” શિવરામ હરિ રાજગુરુ ” જે આઝાદી માટે હસતા હસતા ફાંસી ના માંચડે ચડી ગયા અને જેમણે આપણને ક્રાંતિ નો સાચો અર્થ સમજાવ્યો છે . ક્રાંતિ એટલે કે ” કોઈ પણ વિકટ પરિસ્થિતિ ને બદલવા દેશહિત કે માનવતા માટે કરવામાં આવતો સંઘર્ષ કે પ્રયાસ ” , કોરોના મહામારી ની પરિસ્થિતિ માં લોહી ની અછત ને કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેવા જરૂરીયાતમંદ લોકો માટે આપણે સૌ સાથે મળી રક્તદાન કરીએ.આ કેમ્પ સરકારી બ્લડ બેન્ક ના સહયોગથી કરવામાં આવતો હોવાથી એકત્ર થયેલું રક્ત જરૂરિયાતમંદ લોકો , થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને મજૂરવર્ગ ની મહિલાઓને પ્રસુતિ સમયે નિ : શુલ્ક મળી શકે અને તેમનો જીવ બચાવી શકે છે . આપણા દ્વારા કરવામાં આવતી નાનામાં નાની સેવા એ આપણા શહીદો માટે સાચી શ્રદ્ધાંજલિ હશે . તો ચાલો મળીને ક્રાંતિકારીઓ ના સપના નું ભારત બનાવીએ અને ” ભગતસિંહ યુવા સમિતિ ” સાથે જોડાઈ સેવા માટે નું પ્રણ લઈએ અને દેશ ના એક જાગૃત નાગરિક તરીકેની ફુરજ અદા કરીએ.
રિપોર્ટ:- હિરેન ચૌહાણ બાબરા