ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારાબી.સી.એ. તથા બી.એ.(હોમસાયન્સ)સેમેસ્ટર-૧ નું પરિણામ જાહેર

જૂનાગઢ : જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા માર્ચ-૨૦૨૧માં લેવામાં આવેલ પરીક્ષા બી.સી.એ. સેમેસ્ટર-૧નું ૭૫.૦૭ ટકા તથા બી.એ.(હોમસાયન્સ) સેમેસ્ટર-૧નું ૮૫.૭૧ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર થયેલ પરિણામ સંદર્ભે જે વિદ્યાર્થીઓ પુનઃમૂલ્યાંકન કરાવવા ઈચ્છતા હોય તેઓ તા.૮ એપ્રિલ ૨૦૨૧ સુધીમાં આપેલ લીંક http://bknmu.gipl.net પર પોતાનું યુઝરનેમ તથા પાસવર્ડ એન્ટર કરી ઓનલાઈન અરજી કરી શકશે. બાકી રહેલ પરિણામો પણ વહેલી તકે જાહેર કરી દેવામાં આવશે. તેવું ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ