રાણપુર પાંજરાપોળને સબસીડી આપવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ..

રાણપુર પાંજરાપોળને સબસીડી આપવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરની પાંજરાપોળને સબસીડી આપવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ.રાણપુર પાંજરાપોળની ૯૦૦ ઢોર સાચવવાની ક્ષમતા છે.પરંતુ કપરા સંજોગોમાં તેમજ કોરોના કાળમાં હાલ રાણપુર પાંજરાપોળમાં ૧૩૦૦ કરતા વધુ અબોલ પશુઓ છે.ત્યારે હાલ વરસાદ ખેંચાતા ઘાસચારાના ભાવો આસમાને પહોંચી જતા આટલા બધ્ધા અબોલ પશુઓને નિભાવ ખુબજ કઠીન બની રહ્યો છે.ત્યારે રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટીઓ રાજેશભાઈ શાહ,રાજેશભાઈ નારેચણીયા,અજયભાઈ શેઠ,ઈલેશભાઈ શેઠ સહીતના ટ્રસ્ટીઓ દ્રારા રાણપુર નાયબ મામલતદાર બી.પી.રાણા ને આવેદનપત્ર આપી રાણપુર પાંજરાપોળને તાત્કાલિક સબસીડી આપવામાં આવે તેવી માંગ કરી હતી…
રિપોર્ટ-વિપુલ લુહાર,રાણપુર