ભેરાઈ ગામનો વીજ પુરવઠો, જુના કેબલની કામગીરીને લઈને રાજુલા ડે.કલેકટર ને રજુઆત

ભેરાઈ ગામનો વીજ પુરવઠો, જુના કેબલ અને ટીસી બદલાવવા અને હેલ્પર ની કામગીરીને લઈને રાજુલા ડે.કલેકટર અને પી.જી.વી.સી.એલ.ના અધિકારીને રજુઆત કરતા જનસેવા ચે.ટ્રસ્ટ ગુજરાતના અમરેલી જીલ્લા યુવા પ્રમુખ લખમણભાઇ રામ. રાજુલા તાલુકાના ભેરાઇ ગામમાં તાઉતે વાવાઝોડાને ૧૧૦ દિવસ વીતી ગયા છતાં વીજ પુરવઠો અનિયમિત છે,કેબલો અવારનવાર તુટી જતાં હોય ગંભીર અકસ્માત થવાનો ભય રહ્યા કરે છે.તેમજ ટીસી ગમ્મે ત્યારે બંધ પડી જતાં હોય,લોકોને હાડમારી વેઠવી પડે છે.તેમજ હેલ્પરની કામગીરીથી ગ્રામજનો નારાજ હોય તા પ્રશ્નોનું નિરાકરણ લાવવા લખમણભાઇ વી.રામ,તાલુકા પંચાયતના સભ્ય લાલાભાઈ રામ,ભગુભાઈ રામ,લાલાભાઈ વાઘ,સહિત કાર્યકરોએ રાજુલા પ્રાંત અધિકારી અને પી.જી.વી.સી.એલ.ના અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું છે.
રિપોર્ટ – અતુલ શુક્લ દામનગર
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE અને Like
અને
બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947