ઝઘડીયાના સારસા ગામે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ

ઝઘડીયાના સારસા ગામે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ
Spread the love

ઝઘડીયાના સારસા ગામે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ

ઓકટોબર મહિના દરમિયાન જિલ્લાના વિવિધ ગામોએ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમો યોજાશે

ઝઘડીયા તાલુકાના સારસા ગામે નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સારસાની વિજયભારતી સંસ્થાના પ્રમુખ રતિલાલ રોહિતે અા પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તેમજ ગ્રામજનોનું સ્વાગત પ્રવચન દ્વારા સ્વાગત કર્યુ હતુ. નહેરુ યુવા કેન્દ્ર ભરૂચના જિલ્લા યુવા સંયોજક સુબ્રતો ઘોષ તેમજ નહેરુ યુવા કેન્દ્ર ભરૂચના દિવ્યજિતસિંહ ઝાલા તેમજ નેલ્સન સુબ્તરિયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આખા ઓકટોબર મહિના દરમિયાન યોજાનાર સ્વચ્છતા અભિયાનની માહિતી આપી હતી.આજે રોજના વહેવારમાં આપણે પ્લાસ્ટિકની થેલીયોનો ઉપયોગ કરીએ છીએ. પ્લાસ્ટિકની થેલીયોના ઉપયોગ પછી તેને કચરાના રુપે નાંખી દેવાતી હોય છે.આ પ્લાસ્ટિકને જમીનમાં દાટી દેવાયતો પણ તે એમનુ એમજ રહતુ હોવાથી જમીનનું પ્રદુષણ ફેલાય છે.અને આ પ્લાસ્ટિકને સળગાવાતા વાતાવરણ પ્રદુષિત થાય છે. ત્યારે નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા ઓકટોબર મહિના દરમિયાન જિલ્લાના વિવિધ ગામોએ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમો યોજીને પ્લાસ્ટિક કચરો એકત્ર કરાશે અને તેને આગળના પ્રોસેસ માટે ભરુચ લઇ જવાશે.નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા યોજાનાર સ્વચ્છતા ઝુંબેશને પર્યાવરણની જાળવણીના એક ભાગરુપે ગણાવી હતી.સારસા સિમધરા અને નવાપોરા ગામે આજે નહેરુ યુવા કેન્દ્ર ભરુચ દ્વારા યોજાયેલા સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનોએ સહયોગ આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગ્રામજનોનો આભાર માનવામાં આવ્યો હતો.

રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!