આપતી નિવારણ તાલીમ માં શાળાનાં ૧૦૦ વિધાર્થીઓને તાલીમ બદ્ધ કરાયા

આપતિ નિવારણ તાલીમ કેન્દ્ર ના ઉપક્રમે નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય તથા ખાંટડી પ્રાથમિક શાળાનાં ૧૦૦ વિધાર્થીઓને તાલીમ બદ્ધ કરાયા
ભાવનગર શિશુવિહાર સંસ્થા ના આપતિ નિવારણ તાલીમ કેન્દ્ર ના ઉપક્રમે તા.૧૮ ડિસેમ્બરનાં રોજ શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય તથા ખાંટડી પ્રાથમિક શાળાનાં ૧૦૦ વિધાર્થીઓને ખાંટડી ગામે શ્રી હરેશભાઈ ભટ્ટનાં માર્ગદર્શન હેઠળ ફર્સ્ટએઇડ , ફેક્ચર ના પાટા , ગાંઠો અને વિવિધ સ્ટેચરો વિષયે માહિતી તેમજ પ્રત્યક્ષ નિદર્શન આપવામા આવેલ… આ કાર્યક્રમનું સંકલન શ્રી રાજુભાઈ મકવાણા તથા સાઉથ ના તાલીમાર્થીઓ એ કર્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા