યાત્રાધામ ચાણોદ ખાતે નર્મદા જયંતિ ની ધાર્મિક વિધિ વિધાન સાથે ઉજવણી

યાત્રાધામ ચાણોદ ખાતે નર્મદા જયંતિ ની ધાર્મિક વિધિ વિધાન સાથે ઉજવણી કરવામાં આવી 110 મીટર લાંબી ચૂંદડી ચઢાવી
યાત્રાધામ ચાણોદ ખાતે નર્મદા જયંતિ ની ધાર્મિક વિધિ વિધાન સાથે ઉજવણી
યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મહા સુદ સાતમને સોમવાર ના રોજ નર્મદા માતાજી નો પ્રાગટ્ય દિવસે નર્મદા જયંતી એ પારંપારિક રીતે નર્મદા યાગ, બપોર ના 12:00 નર્મદાજીના પ્રાગટ્ય સમયે નર્મદાજી ની આરતી કરવામાં આવી હતી. દૂધ,શ્રીફળ,પુષ્પ, ભક્તો દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો સાથે નર્મદા મૈયા ને 110 મીટર લાંબી ચુંદડી ચડાવવામાં આવી હતી.માં રેવા ભક્તિ સંગઠન, નાવિક શ્રમજીવી મંડળ,માં નર્મદે હર ગ્રુપ તેમજ ચાણોદના સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મલ્હારરાવ ઘાટ તથા પિંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ નર્મદા યાગ યોજાયો હતો. આ ઉપરાંત નાવિક સમજી મંડળ દ્વારા નર્મદાજી ની પાલખી યાત્રા ચાંદોદ બસ સ્ટેશનથી મલ્હારરાવ ઘાટ સુધી કાઢવામાં આવી હતી તેમજ સાંજે નર્મદાજી ની આરતી કરવામાં આવી હતી નર્મદા જીની નામાવલી સાથે હવન પૂજા રાજોપચાર પૂજા તેમજ કન્યા પૂજા પણ કરવામાં આવી હતી
.
રીપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756