હળવદ – માળીયા હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત : બે ઘાયલ

હળવદ – માળીયા હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત : બે ઘાયલ
મુંબઈથી કચ્છ રાપર જતી કારને નવા ધનાળા ગામના પાટિયા નજીક ટ્રેલરે ટક્કર મારતા સર્જાયો અકસ્માત
હળવદ: આજે વહેલી સવારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક હાઇવે પર ટ્રેલર ચાલકે કારને અડફેટે લેતા મુંબઈ થી કચ્છ જઈ રહેલ પરિવારને અકસ્માત નડયો છે અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે બેને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક કચ્છ-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારના મુંબઈથી કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેસલપર ગામે જઇ રહેલ પરિવારની કારને ટ્રેલર ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ઋત્વિક ભાઈ માણાભાઈ અને વસ્તાભાઈ નારણભાઈને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા
બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી જય રામુબેન વસ્તાભાઇ મોંઘીબેન માનાભાઈ રમેશભાઈ વસ્તાભાઇ મૃતક ની લાસને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવાની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756