ઉકાઇ વર્તુળના અધિક્ષક ઈજનેર મહાકાલે ખેરગામ પેટા વિભાગની મુલાકાત લીધી

ઉકાઇ વર્તુળના અધિક્ષક ઈજનેર મહાકાલે
ખેરગામ પેટા વિભાગની મુલાકાત લીધી:
ખેરગામ ,ઉકાઇ બંધ-ઉકાઈ સિંચાઇ વર્તુળના અધિક્ષક ઈજનેર શ્રી મહાકાલ સોમવારે સવારે ખેરગામ ડાબા કાંઠા પેટા વિભાગની મુલાકાતે અચાનક આવ્યા હતા, જ્યાં શ્રી આઈ.બી.પટેલ-અમઈએ તેમને આવકાર્યા હતા.
શ્રી મહાકાલે કચેરીના ચાર અમઈ શ્રી આઈબી, ગાયકવાડ, ગાવિત અને એડી પટેલ સાથે બ્લોક ૧૭ ઔરંગા નદીના ઍકવેડક્ટ પહેલાં બ્લોક ૧૮ (પછી) માં પાણી વિતરણની વ્યવસ્થા માટે જાણકારી મેળવી નવેરા અને ભૂતસર સુધી સ્થળ નિરીક્ષણ કરી પાણી વિતરણની વ્યવસ્થા અંગે જાણકારી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો જે વિતરણ ૧૨ તારીખે જ શરૂ કરાયું છે.
ખેરગામના જાગૃત નાગરિકે તેઓને હવે નહેરની આજુ બાજુના રસ્તા લોકોપયોગી થયા છે. જેથી ત્યાં સલામતી માટે બેરીકેડ હોવા જોઈએની જો વાત કરી હતી, જે અંગે મહાકાલે જણાવ્યું હતું કે આ કામ માર્ગ મકાન વિભાગને લાગે છે.
રિપોર્ટ : અંકેશ યાદવ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756