દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ નો બુધવારે નેત્રયજ્ઞ યોજાશે

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ નો બુધવારે નેત્રયજ્ઞ યોજાશે
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ના સયુંકત ઉપક્રમે બુધવારે તા.૨૩/૨/૨૨ ના રોજ સંત શ્રી રણછોડદાસજી બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો ની સેવા એથી નેત્રયજ્ઞ યોજાશે આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર અતિ અદ્યતન ટેકનોલોજી થી સંપૂર્ણ વિના મૂલ્યે નેત્રમણી આરોપણ થી મોતિયા ના દર્દી ઓના ઓપરેશન કરી આપવા માં આવશે બુધવારે સવાર ના ૯-૩૦ થી બપોર ના ૧૨-૩૦ સુધી ચાલનાર નેત્રયજ્ઞ માં આવનાર દર્દી નારાયણો એ આધાર કાર્ડ ફરજિયાત લાવવા નું રહેશે મોતિયા ના દર્દી નારાયણો ને રહેવા જમવા ચા પાણી અલ્પહાર ચશ્મા દવા ટીપાં બ્લેન્કેટ ધાબળો સંપૂર્ણ મફત અપાશે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ લેવા સિનિયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756