વીમા કંપની દ્વારા ખોટી રીતે દાવો નકારતા ગ્રાહક તકરાર નિવારણ કમિશને દંડ ફટકાર્યો

વીમા કંપની દ્વારા ખોટી રીતે દાવો નકારતા ગ્રાહક તકરાર નિવારણ કમિશને દંડ ફટકાર્યો
ફ્યુચર જનરલી ઇન્ડિયા ઈંસુરન્સ કંપની ને વીમા ની રકમ વ્યાજ સાથે ચૂકવવી પડશે.
ગાંધીનગર ના રહીશ શ્રીમતી સ્વાતિ લાલવાની એ કોરોના રક્ષક પોલિસી ઉપરોક્ત કંપની પાસેથી જુલાઈ 2020 માં ખરીદી હતી. તારીખ 8 ફેબ્રુઆરી 2021 ના રોજ કોરોના થી સંક્રમિત થતા હોસ્પિટલ માં સારવાર લીધેલ, જે વીમા કંપની ને જાણ કરેલ અને સારવાર ના પેપર્સ રજૂ કરેલ.
વીમા કંપની એ કોરોના રિપોર્ટ નેગેટિવ છે કહી દાવો નકારી દીધેલ.જેથી વિમેદાર ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશન નો સંપર્ક કરી ફરિયાદ દાખલ કરેલ.
ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશન ના પ્રમુખ શ્રી ડી.ટી .સોની સાહેબે ગ્રાહક ની ફરિયાદ વ્યાજબી ગણાવી વીમા કંપની ને વીમા ની રકમ રૂપિયા 2.5 લાખ, અરજી કર્યા તારીખ થી 8% વ્યાજ અને રૂપિયા 17500 ખર્ચ અને માનસિક ત્રાસ ના ચૂકવી આપવાનો હુકમ કરી લાલ આંખ કરી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756