ડભોઇ ભાજપ દ્વારા સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ સાંસદ અધીર રંજન ના પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું

ડભોઇ ભાજપ દ્વારા સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ સાંસદ અધીર રંજન ના પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું
Spread the love

કોંગ્રેસ ના સાંસદ અધિર રંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિ ને રાષ્ટ્રપત્ની કહેતા નિવેદન બાદ સમગ્ર દેશમાં ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા વિરુદ્ધ વિરોધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ ડભોઇ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર તેમજ તાલુકાની આગેવાની માં કોંગ્રેસ ના નેતા એ રાષ્ટ્રપતિ ના કરેલ અપમાન બદલ આંબેડકર ચોક ખાતે સોનિયાગાંધી તેમજ અધિર રંજન નું પૂતળું દહન કરી ભારે સુત્રોચાર કર્યા હતા. ત્યારે બાદ મદદનિશ કલેક્ટર ને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સાંસદ ના વાણી વિલાસ થી રાજકીય ધમાસાણ સર્જાયું છે તેમજ સમગ્ર દેશ માં ભાજપ દ્વારા તેઓનો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જે અંતર્ગત આજરોજ ડભોઇ શહેર તાલુકા ભાજપ દ્વારા કોંગ્રેસ સાંસદ ના શબ્દો ને સખત શબ્દો માં વખોડયા હતા સાથે જ કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ નેતા અધીર રંજન ચૌધરી માફી માંગવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું તેમજ ડભોઈ ના આંબેડકર ચોક ખાતે ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા ના પૂતળા નું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો.

રીપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG_20220729_213859.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!