રાજકોટ ના પોલીસ કમિશનર મોહરમને અનુલક્ષીને ટ્રાફિક અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ.

રાજકોટ ના પોલીસ કમિશનર મોહરમને અનુલક્ષીને ટ્રાફિક અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ.
Spread the love

રાજકોટ ના પોલીસ કમિશનર મોહરમને અનુલક્ષીને ટ્રાફિક અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ.

રાજકોટ માં તા.૯/૮/૨૦૨૨ ના રોજ મોહરમને અનુલક્ષીને રાજકોટ શહેરમાં અલગ-અલગ જગ્યાએથી તાજીયાઓ નીકળતા હોય છે. લોકો ખુબ જ બહોળી સંખ્યામાં તાજીયા જોવા માટે આવતા હોવાથી તાજીયાના રૂટમાં કોઈપણ પ્રકારની ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત તા.૯/૮/૨૦૨૨ની રાત્રે ૧૨:૩૦ થી ૬ વાગ્યા સુધી તેમજ બપોરના ૧૨થી મધરાત સુધી સોરઠીયા વે બ્રીજથી જીલ્લા ગાર્ડન ચોકથી રામનાથપરા રોડથી રામનાથપરા ગરબી ચોકથી કોઠારીયા નાકા પોલીસ ચોકી સુધી તમામ વાહનો માટે પ્રવેશ બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કોઠારીયા નાકા પોલીસ ચોકીથી પેલેસ રોડ થઈ ગુંદાવાડી પોલીસ ચોકથી કેનાલ રોડ જીલ્લા ગાર્ડન ચોક સુધી અને સોનીબજાર રોડ કોઠારીયા પોલીસ ચોકીથી દરબારગઢ સુધી પ્રવેશ બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં ગુજરી બજાર એ-વન હોટલ ચોકથી કોઠારીયા પોલીસ ચોકી સુધી, ભુપેન્દ્ર રોડ દિવાનપરા પોલીસ ચોકીથી પેલેસ રોડ ને મળે ત્યાં સુધી ભુપેન્દ્ર રોડ કોર્નર સુધી અને ચુનારાવાડ બેઠા પુલના ખુણેથી રામનાથ પરા પોલીસ લાઈનના ઝાપા સુધી પ્રવેશ બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરોકત હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર વાહન ચાલક શિક્ષાને પાત્ર ઠરશે.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!