થરાદ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આજ નો દિવસ નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ ‘આદિવાસી દિવસ’ આજ નાં દિવસ ની ઉજવણી સરહદી પંથકમાં રેલી કાઢી ઉજવવામાં આવ્યો હતો. જેમાં થરાદ,વાવ અને સુઈગામ આમ ત્રણ તાલુકાના આયોજન થી રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી.થરાદ ખાતે આવેલ જનતા હાઈસ્કૂલ પાસે ભીલ સમાજ ની વાડી થી રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.આદિવાસી દિવસ ની ઉજવણી કાયૅક્રમ ની શરૂઆત દિપ પ્રાગટય થી કરવામાં આવી હતી.વિશ્વ આદિવાસી દિવસ ની રેલી નો રુટ ભીલ સમાજ ની વાડી થી જનતા હાઈસ્કૂલ,ટોડા તળાવ,બસ સ્ટેન્ડ, હનુમાન ગોળાઈ થી રેફરલ ત્રણ રસ્તા, ગાયત્રી મંદિર અને માર્કેટ યાર્ડ થરાદ સુધી રાખવામાં આવ્યો હતો જેમાં પધારેલ મહેમાનો, નેતાઓ તેમજ અધિકારી શ્રી, કમૅચારીઓ તેમજ દાતા શ્રી ઓ નું સન્માન કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારબાદ કાયૅક્રમ ની સમાપન વિધિ કરવામાં આવી હતી.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756