શિશુવિહાર પ્રાંગણમાં રાષ્ટ્રીય વંદનાની ઉત્સાહ ભેર ઉજવણી

શિશુવિહાર પ્રાંગણમાં રાષ્ટ્રીય વંદનાની ઉત્સાહ ભેર ઉજવણી
ભાવનગર શિશુવિહાર પ્રાંગણમાં રાષ્ટ્રીય વંદનાની ઉત્સાહ ભેર ઉજવણી
૧૯૪૭ રાત્રીનાં ૧૨-૦૦ વાગ્યે જે ધ્વજ ભૂમિ ઉપર સ્વાતંત્ર્ય વંદના થઈ હતી તે ભૂમિ ઉપર સતત ૭૬ માં વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ યોજાયો..
જાણીતા માનવતા વાદી શ્રી દોલતભાઈ કાણકીયાની અધ્યક્ષતામાં યોજાયેલ. રાષ્ટૃવંદના સાથે ક્રિડાગણનાં તાલિમાર્થિઓની બેન્ડ સલામી સાથે સ્વાતંત્ર્ય અમૃત મહોત્સવે સંસ્થાએ યોજેલ ૩૭૫ થી વધું પ્રવૃત્તિઓમાં સહભાગી થયેલ ૧.૭૫.૦૦૦ નાગરિકોનાં દસ્તાવેજનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવેલ. ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકનાં બદલે ૭૫.૦૦૦ કાપડની થેલીઓ તૈયાર કરાવનાર સંસ્થાનાં કાર્યકર શ્રી દક્ષાબહેન ગોહેલનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યુ હતું.
શિશુવિહાર સંસ્થાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ દવેનાં વરદ હસ્તે ૧૫ શ્રમિક બહેનોને શ્રી શારદાબહેન ધીરજલાલ દેસાઈ પરિવાર તરફ થી સીવણ સંચા અર્પણ થયા હતાં. સાથો સાથ શહેરનાં સાંસ્કૃતિક વારસાનું જતન કરતી ૫૦ થી વધું સ્વૈચ્છીક સંસ્થાઓનુ વિશેષ અભિવાદન કરાયું હતું.
આઝાદીનાં અમૃત મહોત્સવ પ્રસંગે વિશેષ સક્રિયતા થી શહેરનાં આમ નાગરિકોની સેવા શિક્ષણ અને તાલીમ અવસર આપનાર શિશુવિહાર ક્રીડાગણનાં તાલિમાર્થિઓને નમતી સાંજે રાષ્ટ્રીય વંદના કાર્યક્રમ થતી સમગ્ર પ્રસંગેને રાષ્ટ્રીય ભાવનાથી સુશોભિત કરેલ..
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756