શિશુવિહાર દ્વારા નિરમા લિમિટેડ ના સૌજન્ય થી આરોગ્ય શિબિર યોજાય
શિશુવિહાર દ્વારા નિરમા લિમિટેડ ના સૌજન્ય થી આરોગ્ય શિબિર યોજાય
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લીમીટેડનાં સૌજન્ય થી તા.૨૪ ઓગષ્ટનાં રોજ ભાલ વિસ્તારનાં ગણેશગઢ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમા ૨૧૫ ગ્રામજનોની આરોગ્ય તપાસ , ચશ્મા વિતરણ કરવામા આવેલ.આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દ્વારા મળેલ મેડીકલ વેનનો વિશેષ ઉપયોગ થી બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ.
આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , શ્રી રમેશભાઈ પરમાર , શ્રી રેખાબહેન ભટ્ટ ,શ્રી નીર્મોહિબહેન ભટ્ટ, શ્રી દીપાબહેન જોષી તથા નિરમા લીમીટેડના એડ્મીન ઓફીસ નાં શ્રી યોગેશભાઈ રામાનુજ અને ગામનાં સરપંચશ્રી નાથાભાઈ તથા આચાર્ય શ્રી હિરેનભાઈની ઉપસ્થિતિ માં યોજવામાં આવેલ.. આ કાર્યક્રમનું સંકલન શ્રી હિનાબહેન ભટ્ટ શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતુ..
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756