શિશુવિહાર માં ૪૪૪ અને ૪૪૫ માં નેત્રયજ્ઞ યોજાયો ૧૦૫ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો

શિશુવિહાર માં ૪૪૪ અને ૪૪૫ માં નેત્રયજ્ઞ યોજાયો ૧૦૫ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો
Spread the love

ભાવનગર શિશુવિહાર માં ૪૪૪ અને ૪૪૫ માં નેત્રયજ્ઞ યોજાયો ૧૦૫ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા ૧૦૫ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી મુંબઈ સ્થિત શ્રી રવિ હેમેન્દ્રભાઈ વળીયાના સૌજન્ય થી ૪૪૪ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ શ્રી ઇન્દુબહેન ભાસ્કરભાઈ દવેનાં સૌજન્ય થી ૪૪૫ મો નેત્રયજ્ઞ તારીખ.૨૬ ઓગષ્ટનાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૦૫ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. જગદીશભાઈ મહેતા સાહેબ ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ. મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ ૨૬ દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના ૨૬ સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા. દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220826-WA0039.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!