ઉમરપાડામાં આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન યોજાયું

ઉમરપાડામાં આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન યોજાયું
Spread the love

ઉમરપાડામાં આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન યોજાયું

દિલ્હી અને પંજાબ માં આમ આદમી પાર્ટીની સરકારે કરેલા કામો ની લોકોને માહિતી આપી…

ઉમરપાડા તાલુકા મથક અને સ્થાનિક હાટ બજારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાર્ટી સદસ્યતા અભિયાન પેમ્પ્લેટ વિતરણ કરી ડોર ટુ ડોર લોક સંપર્ક કરી સંવાદ કર્યો હતો ઉમરપાડા તાલુકા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગૌરાંગ વસાવા ના નેજા હેઠળ યોજાયેલ કાર્યક્રમ મા દિલ્હી અને પંજાબ માં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ કામગીરી જેમાં મફત વીજળી મફત શિક્ષણ સારી આરોગ્ય સેવા વગેરે મુદ્દે લોકો ને માહિતગાર કર્યા હતા તેમજ ગુજરાત માં કેજરીવાલજી એ આપેલ ગેરંટી વિશે લોકો ને માહિતી આપી હતી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું કે લોકો આમ આદમી પાર્ટી ની સરકાર બનાવવા ઉત્સુક છે અને ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે.
આ કાર્યક્રમ પૂર્વ ઉપ પ્રમુખ બિપીનભાઈ વસાવા વિધાન સભા ના સંગઠન સહ મંત્રી નરેશભાઈ વસાવા, વિધાન સભા સંગઠન સહમંત્રી સુનીલ ભાઈ વસાવા સહિત કાર્ય કર્તા અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : નિલય ચૌહાણ, માંગરોળ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!