થરાદ:નમૅદા કેનાલમાં યુવક ની લાશ મળી
થરાદ નમૅદા કેનાલમાં યુવકની લાશ મળી
બનાસકાંઠા જિલ્લામાં સરહદી લોકો ની જીવાદોરી નમૅદા કેનાલ નો ઉપયોગ લોકો આત્મહત્યા કરવા માટે કરી રહ્યા હોવાનું થોડાં સમય થી જોવા મળે છે.આજે થરાદની મુખ્ય કેનાલ નાગલા પુલ પાસે યુવક ડૂબ્યો હોવાનો કોલ મળતા ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.ટીમ નાં લોકો ની ત્રણ કલાકની શોધખોળ બાદ તેની ડેડ બોડી મળી આવેલ હતી .જે કેનાલમાં મળેલી લાશ તેની ઓળખ લાખણી તાલુકાના ચિત્રોડા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું.જેમનુ નામ
જોયતાભાઇ ભીખાભાઈ હોવાનું જાણવા મળ્યું હતું.જે યુવાન પરણિત હોવાનું જાણવા મળ્યું હતું.યુવાન નું મોત નું કારણ જાણી શકાયું નથી પરિવાર જનો ને લાશ સોંપી દેવામાં આવી હતી.ઘટના સ્થળે લોકો ઉમટી પડ્યા હતા.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756