થરાદ ખાતે હિન્દુ સંગઠનોએ આપ્યું આવેદનપત્ર

હિન્દુ સંગઠનોએ ગૌમાતા માટે સરકાર વિરુદ્ધ મોરચો માંડયો છે ત્યારે સંવેદનશીલ સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળમાં આવેલ ગૌવંશ ના નિભાવવા માટે રૂપિયા ૫૦૦ કરોડ અને રખડતા પશુઓ માટે રૂપિયા ૧૦૦ કરોડ મળી કુલ રૂપિયા ૬૦૦ કરોડ ની ગૌમાતા પોષણ યોજના ની જાહેરાત કરવામાં આવેલ છે તે માટે આભાર વ્યક્ત કર્યો હતો.
અસહ્ય મોંધવારી અને આર્થિક તકલીફ ના કારણે ગૌશાળા પાંજરાપોળને મળતી દાન ની આવક બંધ થવાથી સંસ્થાઓ દેવાદાર બની છે જેના કારણે સંસ્થાઓને પોતાના પશુઓને નિભાવ કરવો ખુબજ મુશ્કેલ બન્યો છે જાહેર કરવામાં આવેલ ગૌપોષણ યોજના નો અમલમાં વિલંબ ના કારણે ભારોભાર નારાજગી જોવા મળે છે તથા કંપી નામના વાયરસ ના કારણે ગૌશાળા પાંજરાપોળોમાં આવેલ તથા રખડતા અસંખ્ય પશુહોના મૃત્યુના કારણે ગૌભક્તોમાં ખુબજ દુઃખની લાગણી વ્યાપી ગયેલ છે અને હાલત ખુબજ કપરી બનેલ છ આવા કપરા સમયમાં દરેક સંસ્થાઓ જીવદયા પ્રેમીઓ તથા ગૌભક્તો હિન્દુ ધર્મની ધરોહર અને આધાર સ્તંભ એવા ગૌવંશને બચાવવા માટે રાષ્ટ્રવાદી અને લોકપ્રિય સરકાર પાસે આર્થિક સહાયની આશા શાખી રહી તેથી યોજના ત્વરિત અમલમાં આવે તેવી થરાદ નાયબ કલેકટર પાસે રજુઆત કરી છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756