સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલધામમાં રાસ ગરબાની સાથે ખોડિયાર માતાનું આખ્યાન ભજવાશે

મોરબી : સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણતા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જ્યાં સાક્ષાત આઇશ્રી ખોડિયાર માતાજીના બેસણા છે તે માટેલધામમાં આ વખતે પણ નવરાત્રીની ધર્મોલ્લાસભેર ઉજવણી કરાશે. નવરાત્રીમાં દરરોજ સવાર સાંજ ખોડિયાર માતાજીની ભક્તિભાવથી મહાઆરતી કરવામાં આવશે.નવરાત્રીમાં દરરોજ રાત્રે જંગદબા સ્વરૂપા બાળાઓ વિવિધ માતાજીની વેશભૂષામાં રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરાશે. તેમજ દરરોજ રાત્રે 10 વાગ્યે ખોડિયાર મંડળ દ્વારા આઈશ્રી ખોડિયાર માતાજીનું આખ્યાન રજૂ કરશે. તેમજ પૂજા અર્ચના અને દરરોજ દૂર દૂરથી ચાલીને આવતા ભાવિકો નવરાત્રીમાં માતાજીની ભક્તિ કરશે.
રીપોર્ટ :- જનક રાજા,મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756