કોંગ્રેસ ના ધારાસભ્ય પર હુમલા ના વિરોધ માં ડભોઇ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

કોંગ્રેસના આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર નવસારીના ખેરગામ ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલાને વખોડી કાઢી ડભોઈ તાલુકા સેવાસદન કચેરી ખાતે મામલતદાર ને કોંગ્રેસ આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટી ના ઈશારે કોંગ્રેસ ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.તેમજ હુમલો કરનાર વ્યક્તિ પર કડક પગલાં ભરવા અંગે આવેદનપત્ર મામલતદાર ને સોંપી કડક કાર્યવાહી ની માંગ કરી હતી.આ પ્રસંગે ડભોઇ તાલુકા પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ,કોંગ્રેસ આગેવાન સુધીરભાઈ બારોટ,ઘનશ્યામભાઈ પંડ્યાં, ભોલાભાઈ ઠાકોર સાથે મોટી સંખ્યા માં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહી ભારે સુત્રોચાર સાથે દોષિતો સામે પગલાં ભરવા ની માંગ કરી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756