ડભોઈ ખાતે શ્રી ગુંસાઈજી ના પ્રાગટય દિવસ ની ભક્તિભાવ થી ઉજવણી કરવામાં આવી

પુષ્ટિમાર્ગ ના પ્રસારીકર્તા,ગોસ્વામી,
ગૌસેવક, શ્રીગોવર્ધનધરણ,પુષ્ટિ પુરસોત્તમ શ્રી ગુંસાઈજી પ્રભુચરણ ના પ્રાગટય ઉત્સવ ની ડભોઇ સ્થિત વલ્લભીય વૈષ્ણવો દ્વારા ભક્તિભાવ થી ઉજવણી કરવામાં આવી હતી.આજરોજ ડભોઈ ઝારોલાવાગા ખાતે વૈષ્ણવ સમાજ દ્વારા ગોસાઈજી નો પ્રાગટય દિવસ ની ધામધૂમ પૂર્વક તેમજ ભક્તિભાવ થી ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે જલેબી ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.શ્રી ગુસાઇજી ના પ્રાગટય દીને જલેબી ઉત્સવ ની ઉજવણી સાથે તિલક માળા વિધિ બાદ ડભોઇ નગર માં ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.આ શોભાયાત્રા ડભોઇ ઝારોલવાગા સ્થિત મોટા મંદિર થી નીકળી ડભોઈ ના રાજમાર્ગો પર ફરી પુનઃ મંદિર પાસે સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે પ.પૂ.ગોસ્વામી 108 શ્રી રવિ કુમાર મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ભક્તિભાવ તેમજ હર્ષોલ્લાસ થી નીકળેલ શોભાયાત્રા માં મોટી સંખ્યા માં ભાવિક ભક્તો જોડાયા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756