રાજુલા તાલુકાના સાંજણાવાવ ગામે પીએસઆઇ ગોહિલે વ્યાજખોરો નાબૂદી ઝુંબેશ અંતર્ગત મીટીંગ યોજી

રાજુલા તાલુકાના સાંજણાવાવ ગામે પીએસઆઇ ગોહિલે વ્યાજખોરો નાબૂદી ઝુંબેશ અંતર્ગત મીટીંગ યોજી……
અમરેલી જિલ્લા પોલિસ વડા શ્રી હિંમકર સિંહ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.એમ.વોરાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ મથકો આ અભિયાનમાં જોડાયા છે. ત્યારે રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ પી. ડી. ગોહિલ દ્વારા સાંજણાવાવ ગામે વ્યાજખોરો નાબૂદી ઝુંબેશ અંતર્ગત પીએસઆઇ ગોહિલના અધ્યક્ષતામાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં સાંજણાવાવ ગામના આગેવાનો, અગ્રણીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પીએસઆઇ ગોહિલ દ્વારા લોકોને જણાવ્યું હતું કે, વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો નો ત્રાસ દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યો છે ત્યારે આપની આસપાસ કોઈપણ વ્યક્તિ વ્યાજખોરનો ભોગ બન્યો હોય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા આવશે સહિત વિવિધ જાગૃતતા બાબતે ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી તેમજ વ્યાજખોરો નાબૂદી ઝુંબેશના બેનરો લગાડયા હતા. અને સાથે સાથે લોકોમાં જાગૃતતા લાવવા માટે પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. અને લોકોએ પીએસઆઇની કામગીરી જોઈને પ્રસંશા કરી હતી……..
રીપોર્ટ:-ધર્મેશ મહેતા રાજુલા…..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300