પરમાર્થ ટ્રસ્ટ દ્વારા સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ

બારડોલી સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ નિવાસ સ્થાન સ્વરાજ આશ્રમ ખાતે સુરતની અનેકવિધ સેવાનો પર્યાય સંસ્થાન પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા હજારો વિદ્યાર્થીઓને દર વર્ષ જેમ આ વર્ષે પણ સરદાર સાહેબની માનસ પુત્રીરત્ન પૂજ્ય નિરંજના બા. ની પાવન નિશ્રામાં શિક્ષણ મેળવતી દીકરીઓને પરમાર્થ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતભાઈ માગુંકિયા સહિત સંસ્થાની મહિલા સ્વંયમ સેવી બહેનોએ શિક્ષણ કીટનું વિતરણ કર્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલી સ્વરાજ આશ્રમની દીકરીઓને નોટ બૂકો અને થેલા વિતરણ કરાયું હતું. જ્યાં સરદાર સાહેબને સરદારનું બીડુંદ મળેલું તે જગ્યા એટલે સ્વરાજ આશ્રમ ખાતે આજે પરમાર્થ ટ્રસ્ટના ટ્રસ્ટી સ્વંયમ સેવી બહેનોના વરદહસ્તે શિક્ષણ કીટ વિતરણ કરાઈ હતી.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા