સમર્પિત ટીમ વગર પરિણામ મેળવવું મુશ્કેલ

ન્યુ દિલ્હી,
કેન્દ્રમાં જૂની સરકાર ભંગ થઈ ચૂકી છે અને નવી સરકાર બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને તેમને સંબોધિત કર્યા અને અધિકારીઓના ખૂબ વખાણ કર્યા. બ્યૂરોક્રસીને અંકુશમાં રાખવા માટે જાણીતા વડાપ્રધાન મોદીએ કÌšં કે તમે લોકોએ મારી અપેક્ષાઓથી વધુ પરિણામ આપ્યા. આપના ભરોસાથી મને કામ કરવાની પ્રેરણા મળી. મને છેલ્લા પાંચ વર્ષોમાં ઘણું બધું શીખવાની તક મળી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કÌš્ર કે કોઈ પણ પરિણા ત્યાં સુધી નથી મળતું, ત્યાં સુધી કોઈ સમર્પિત ટીમ નથી મળતી. સપના કેટલા પણ સારા કેમ ન હોય, ત્યાં સુધી પૂરા નથી થતાં જ્યાં સુધી સાથીઓનો વિચાર કામને લઈને એક જેવા નથી હોતા.
વડાપ્રધાને કÌšં કે, દેશના તમામ કામોની ક્રેડિટ તો પીએમને મળે છે. ટીવી-અખબારમાં પીએમ દેખાય છે, વખાણ પણ પીએમને મળે છે, પરંતુ જ્યાં સુધી કોઈ સમર્પિત ટીમ ન હોય ત્યાં સુધી સપના કેટલા પણ મોટા કેમ મોટા અને સંકલ્પ કેટલા પણ દૃઢ કેમ ન હોય, નિયત કેટલી પણ નેક કેમ ન હોય, પરિણામ મળવું મુશ્કેલ હોય છે. પરિણામ ત્યારે મળે છે. નરેન્દ્ર મોદીએ કÌšં કે, પાંચ વર્ષ સુધી જે ઈરાદાથી ૨૦૧૪માં ચાલ્યા હતા, ૨૦૧૯ સુધી અમે અમારા માર્ગમાં જરા પણ ભટક્્યા નથી. અમે સમર્પણ વધારતા ગયા. લોકોની અપેક્ષાઓના કારણે કામનું દબાણ વધતું ગયું.
વડાપ્રધાને અધિકારીઓને અગાઉની સરકારનો પણ ઉલ્લેખ કર્યો અને કÌšં કે તમે લોકોએ પણ અનુભવ્યું હશે કે પૂર્વના કાર્યકાળની અપેક્ષા આપને પણ પરિવર્તન અનુભવ્યો હશે. વડાપ્રધાને અધિકારીઓના વખાણ કરતાં કÌšં કે, આવો લોકોની અપેક્ષાથી વધુ પરિણામ આપ્યું છે. સમયની કલ્પનાથી પહેલા આપ્યું છે. વ્યવÂસ્થત રીતે અને યોગ્ય રીતે આપ્યું છે.
પીએમે આ બેઠકમાં મોટી વાત કહી કે અમે નથી ઈચ્છતા કે વડાપ્રધાન કાર્યાલય ઇફેÂક્ટવ હોય, અમે ઈચ્છીએ છીએ કે પીએમમો એફિશિઅન્ટ હોય. તેની કામ કરવાની ક્ષમતાના પરિણામની માત્ર ઘણુ વધુ હોય છે.
અધિકારીઓના કાર્યોના વખાણ કરતાં પીએમે કÌšં કે, આપ પેકી અનેક લોકો એવા છે જેમણે અનેક વડાપ્રધાન અને મંત્રી જાયા છે, પરંતુ હું પહેલો વડાપ્રધાન છું, જેમણે આપને જાયા છે. તમે મને ક્્યારેય એકલવાયું નથી અનુભવવા દીધું, કામનું ભારણ મારી પર નથી આવ્યું. આપના વિચારોએ મને તાકાત આપી છે.
આભાર – નિહારીકા રવિયા