રાજુલાના મફતપરા વિસ્તારમા વૃધ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી.

રાજુલાના મફતપરા વિસ્તારમા વૃધ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી.
રાજુલા શહેરના મફતપરા વિસ્તારમાં રેલ્વે સ્ટેશન નજીક એક વૃધ્ધની લાશ મળી આવી હતી. આ લાશ મળી આવતા આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી હતી. આ ધટનાની જાણ રાજુલા પોલીસને થતાં પીઆઇ આઇ.જે.ગીડા સહિત પોલીસ કાફલો દોડી ગયો હતો. અહીં લોકોના ટોળેટોળા એકઠા થયાં હતાં. મૃતકની લાશને ૧૦૮ મારફતે રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી. મૃતકનુ નામ દતાભાઇ રાઠોડ ઉ.વ.૫૫ હોવાનુ જાણવા મળેલ છે. આ સમ્રગ મામલે રાજુલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી.
રિપોર્ટ – મહેશ વરૂ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300