વિસાવદર : કાદવાળી આશ્રમના મહંત પૂ.બળવંતપુરીબાપુ અયોધ્યાથી પરત આવતા સ્વાગત કરાયું

વિસાવદર : કાદવાળી આશ્રમના મહંત પૂ.બળવંતપુરીબાપુ અયોધ્યાથી પરત આવતા સ્વાગત કરાયું
Spread the love

વિસાવદર પાસેના જંગલમાં આવેલ કાદવાળી આશ્રમમાં જંગલમાં મંગલ

વિસાવદરથી નવ કિલોમીટર દૂર ગીર બોર્ડરના જંગલમાં આવેલ કાદવાળી આશ્રમના મહંત પૂ.બળવંતપુરીબાપુ ગત ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અયોધ્યા ઉપસ્થિત રહેલ. સાધુ, સંતો, મહંતો, મંડલેશ્વર, મહામંડલેશ્વર, રાજકીય અગ્રણીઓ અને માનવ મહેરામણ વચ્ચે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયેલ.
ત્યારબાદ પૂ.બળવંતગીરીબાપુ પોતાના કાદવાળી આશ્રમે પધારતાં હસનાપર ગામના ગ્રામ્યજનો તેમજ સેવકોએ પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરેલ. બાદ આજરોજ તા.૩-૨ થી ૪-૨-૨૦૨૫ દિવસ બે આશ્રમમાં બિરાજિત ભોલેનાથ મંદિરના પટાંગણમાં પૂ.બાપુ દ્વારા રામચરિત માનસના પાઠનું આયોજન કરવામાં આવેલ. જસદણથી પધારેલ સેવકગણ તથા ભક્તો ભાવિકોએ કાદવાળી આશ્રમમાં રામાયણ કથિત તમામ કાંડોનું સંક્ષિપ્તમાં સંગીતના વાદ્યો સાથે ગુણગાન ગાયા. બાદ મહંતશ્રીએ મહાઆરતી ઉતારી. સૌ ભક્તજનો, સેવકો તથા આમંત્રિતોએ રામચરિત પાઠમાં ઉપસ્થિત રહી કૃતજ્ઞતા વ્યક્ત કરેલ.
અંતમાં મહંત પૂ. બળવંતગીરીબાપુએ આશીર્વાદ સાથે જણાવેલ કે આપ સૌએ ભાવવિભોર બની રામાયણના પાઠોનું પઠન કરી આશ્રમમાં ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું. સમયાંતરે આશ્રમમાં ઉજવાતા તમામ પ્રસંગોમાં ઉપસ્થિત રહેવા આમંત્રિતો, ભક્તજનો તથા સેવકોને અનુરોધ કરી આશીર્વચન પાઠવેલ.આશ્રમની આજુબાજુના માલધારીનેશ તથા ગામડામાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ. ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરી સૌ વિખુટા પડેલ.

રિપોર્ટ : સી. વી. જોશી વિસાવદર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240202-WA0036.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!