ખેડૂતોને પોષણક્ષમ ભાવો દ્વારા પ્રોત્સાહન આપવુ એ જ અમારો નિર્ધાર

ખેડૂતોને પોષણક્ષમ ભાવો દ્વારા પ્રોત્સાહન આપવુ એ જ અમારો નિર્ધાર
Spread the love

ખેડૂતોને પોષણક્ષમ ભાવો દ્વારા પ્રોત્સાહન આપવુ એ જ અમારો નિર્ધાર

ગુજરાતમાં તા. ૧૮મી માર્ચથી આગામી ૯૦ દિવસ સુધી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. ૧૭૩૪ કરોડની કિંમતની ૨.૪૫ લાખ મે. ટન તુવેરની ખરીદી કરાશે

રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૭૬૫ કરોડની કિંમતના ૩.૨૪ લાખ મે. ટન ચણા અને રૂ. ૮૫૩ કરોડની કિંમતના ૧.૫૧ લાખ મે. ટન જેટલા રાયડાની પણ ખરીદી કરાશે

રાજ્યના અંદાજીત સવા ત્રણ લાખ ખેડૂતોને આ ખરીદીનો મળશે લાભ

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાનાભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની આગામી તા. ૧૮મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરુ થશે, જે આગામી ૯૦ દિવસ એટલે કે, ૧૫મી જૂન સુધી ચાલુ રહેશે.જેનો લાભ અંદાજે ૩.૨૦ લાખ ખેડૂતોને થશે.

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. ૧૭૩૪ કરોડની કિંમતની ૨,૪૫,૭૧૦ મે. ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત રૂ. ૧૭૬૫ કરોડની કિંમતના ૩,૨૪,૫૩૦ મે. ટન ચણા અને રૂ. ૮૫૩ કરોડની કિંમતના ૧,૫૦,૯૦૫ મે. ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે ૧૪૦ ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે ૧૮૭ ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે ૧૧૦ ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં કુલ ૪૩૭ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે. આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે. ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂ. ૭૦૦૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧૪૦૦ પ્રતિ મણ), ચણા માટે રૂ. ૫૪૪૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧૦૮૮ પ્રતિ મણ) અને રાયડા માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧૧૩૦ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240309_135725_862.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!