આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી

આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી
Spread the love

આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયા

 

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ કંટ્રોલ રૂમની મલાકાત લીધી : ફરિયાદોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા આપી સૂચના

જૂનાગઢ : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે સી – વીઝિલ- કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી. તેમણે સી – વિઝીલ એપ અને ટેલીફોન મારફત મળેલી આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોની સમીક્ષા કરી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સી-વિઝિલ એપ અને અન્ય માધ્યમો મારફત મળતી ફરિયાદોનો સમયમર્યાદામાં અને નિયમો અનુસાર યોગ્ય પ્રત્યુતર પાઠવવા માટે સૂચના આપી હતી. આ સાથે જરૂરી રજીસ્ટર તપાસી ફરિયાદોનો ગુણવત્તા યુક્ત રીતે ઉકેલ આવે તે માટે પણ ફરજરત અધિકારી-કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આચાર સંહિતા ભંગ બાબતોની ૮ જેટલી ફરિયાદો મળી હતી. જે તમામનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

લોકશાહીના આ મહાપર્વમાં કંટ્રોલરૂમને પણ નવા રંગ રૂપ આપવાની સાથે સુશોભિત કરવામાં આવ્યો છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની આ કંટ્રોલરૂમની મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હર્ષ પટેલ સહિતના અધિકારી-કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!