ગાંધીનગર : મેયર શ્રીમતી મીરાબેન પટેલ ઉદ્દગમ ચેરીટેબલ ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા

આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ એ ઉદ્દગમ ચેરીટેબલ દ્વારા આયોજિત જરૂરિયાતમંદ બાળકોને નોટબુક સહિત અન્ય અભ્યાસલક્ષી સામગ્રી આપવાના કાર્યક્રમમાં સરકારી પ્રાથમિક શાળા, સેક્ટર 30 ખાતે હાજરી આપી.
ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી બાળ અને મહિલા ઉત્કર્ષ માટે અનેક સેવા કાર્યો કરે છે. આ અવસરે મેયરશ્રી એ મયુરભાઈ જોશી સહિત તેમની ટીમને અભિનંદન પાઠવ્યા તેમજ બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં પક્ષના નેતાશ્રી અનિલસિંહ વાઘેલા, કાઉન્સિલરશ્રીઓ તેમજ હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : મયુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300