રાજભવનમાં રંગોળીના રંગોમાં પથરાયો પ્રાકૃતિક ખેતીનો સંદેશ…

રાજભવનમાં રંગોળીના રંગોમાં પથરાયો પ્રાકૃતિક ખેતીનો સંદેશ…
દિવાળી અને નૂતન વર્ષના તહેવારોમાં રાજભવન રંગોળી અને રોશનીથી દીપી ઉઠ્યું છે… રાજભવનની રંગોળી શોભાની સાથો સાથ સંદેશો પણ આપે છે. લોકોના સ્વાસ્થ્ય, ખેડૂતોની સમૃદ્ધિ તથા હવા-પાણી અને જમીનની જાળવણી માટે ચિંતિત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા સતત પ્રયત્નશીલ છે. રાજભવનમાં વિશાળ રંગોળીના રંગોમાં ‘સ્વસ્થ ભવિષ્ય માટે પ્રાકૃતિક કૃષિ’નો સંદેશ પથરાયો છે… રાજ્યપાલશ્રીએ નવા વર્ષમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોનો જ ઉપયોગ કરવાનો સંકલ્પ લેવા સૌને અનુરોધ કર્યો છે.
દીપોત્સવની સંધ્યાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીએ આ રંગોળી પાસે દીવડા પ્રગટાવ્યા હતા..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300