જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૨૮ ફેબ્રુઆરીના ભરતી મેળો યોજાશે

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૨૮ ફેબ્રુઆરીના ભરતી મેળો યોજાશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ દાવત બિવરેજીસ પ્રા.લી., સીનોવા ગીયર્સ એન્ડ ટ્રાંશમીશન પ્રા.લી, એસ.બી.આઇ. લાઇફ ઇન્સ્યુરંશ કં.લી. ભારતિય જીવન વિમા નીગમ (LIC OF INDIA) કેશોદ બ્રાંચ એકમ માટે કેમીસ્ટ, લાઇન એન્જીનીયર, મશીન ઓપરેટર, સી.એન.સી, વિ.એમ.સી. ઓપરેટર, ફિટર, લાઇફ મીત્ર કે વિમા સલાહકાર ની જગ્યાઓ માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એસ.એસ.સી. થી સ્નાતક (આઇ.ટી.આઇ. કે ડિપ્લોમા) જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા, આઇ.ટી.આઇ. કેમ્પસ-કેશોદ ખાતે તા.૨૮/૦૨/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે.
પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકો છો.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300