રમજાન ઈદનું શું મહત્વ છે?

આપ બધા ભાઈઓ બહેનોને દિલી મુબારકબાદી આપું છું
રમજાનનો બરકતી મહીનો પોતાની રોશની અને નેમતોના સાથે પુરો થઈ રહ્યો છે અને આપને બધાને ઈદની ખુશી નસીબ થઈ છે. ઈદનો દિવસ માત્ર ખુશી અને જલસા કરવાનો દિવસ નથી; ઇન્સાનિયતની માનવતાની ભલાઈમાં આગળ વધવાનો એકતા અને ભાઈચારો મજબુત કરવાનો પણ દિવસ છે.
રોજાની ઇબાદત સબ્ર અને સમર્પણ ત્યાગ પ્યાસ પછી આ તહેવાર આપણને એમ શિખામણ આપે છે કે આપણે આપણા દિલને હૃદયને મનને બધી જ નફરતો ઈર્ષા જલન અને આપણી થયેલી ભુલોથી પાક કરીએ.
આપણા જાણ્યે અજાણ્યે થયેલા ગુનાઓની માફી માંગીએ ફરી આવી ભુલો નહી કરીએ એની ખાતરી આપીએ અને નેક સાચા રસ્તા પર ચાલવાની કોશિશ કરીએ.
આ ઇદ આપણને સમાજના છેવાડાના વંચિત લોકોની તકલીફો મુસીબતો પ્યાસ ભુખને પણ યાદ રાખીએ અને જરૂરમંદોની મદદ કરવાનો પ્રયાસ કરવાની યાદ અપાવે છે.
આજના મુબારક દિવસે મારી દુવા છે કી આપની બધી દુવા કબુલ થાય આપણા ઘરોમાં પરિવારોમાં ખુશહાલી બરકત અને શાંતિ ચેન અને સુકુન રહે. આપણા દિલોમાંથી બધા ગમ દુર થાય અને આપણી જિંદગી ખુશીયો ભરી ખુશખુશહાલ અને આબાદ થઈ જાય.
આપણે તથા આપણા પરિવારને ઈદની ખોબો ભરીને શુભેરછાઓ
આલેખન : અબ્બાસ કૌકાવાલા. સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300