અમદાવાદ : અંદાઝ – એ – ગઝલ કાર્યક્રમ યોજાયો

અંદાઝ – એ – ગઝલ
રમત ગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ, ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય નાટક ઍકાદમીના આર્થિક સહયોગથી પ્રો. એસ શેખર સંચાલિત ગીત ગઝલ નો કાર્યક્રમ અમદાવાદ સ્થિત અમદાવાદ મેડિકલ એસોસિએશન હૉલ ખાતે તા. ૫-૪-૨૫ ના શનિવારના રોજ યોજવામાં આવેલ.
પ્રસિદ્ધ ગાયક કલાકારો શ્રીમતી મિતાલી નાગ, શ્રી વીરેન્દ્ર વર્મા તથા શ્રી મયુર ચૌહાણ એ તેમના મધુર કંઠે ગુજરાતી તેમજ હિન્દી ગીત ગઝલોનો રસથાળ પ્રસ્તુત કર્યો. બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગઝલપ્રેમી શ્રોતાઓએ ગઝલો માણી.
વેજલપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર સહિત આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવેલ.
રિપોર્ટ: ભરતકુમાર શાહ તથા સિધ્ધાર્થ જાડાવાળા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300